Navgujarat Samay News Fatafat on 16th December 2020, Afternoon Update

  • 3 years ago
જમીનમાફિયાઓ સામે રાજ્ય સરકારે એકદમ સકંજો કસ્યોઃ લેન્ડ ગ્રેબિંગ કાયદાનો આજથી જ અમલ થશેઃ સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરીઃ સાત અધિકારીની કમિટીની રચના

PM મોદી હવે જાન્યુઆરીમાં ગુજરાત આવે એની શક્યતાઃ સરદારધામના લોકાર્પણમાટે આમંત્રણ અપાયું, રાજકોટ AIIMS ના ખાતમુહૂર્ત માટે પણ PMનો સમય માગવામાં આવ્યો

પેટાચૂંટણીઓની હારથી નારાજ પક્ષ હાઇકમાન્ડ સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાઃ પાર્ટીનો ગંજીપો ચીપાવાનાં એંધાણ

બહુ ઓછા જોવા મળતા ખુંખાર પ્રાણી વરુને જુનાગઢના સક્કર બાગમાં પાંચ બચ્ચાં આવ્યાઃ માદા વરુ અને બચ્ચાંની તબિયત સારી

રાજકોટમાં કાતિલ કોરોનાની વણથંભી રફતારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધાઃ ત્રણ દિવસમાં 15 દર્દીઓનાં મોત

Recommended