જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય 19 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
  • 4 years ago
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છેઆ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી સિંધિયા અમિતશાહની કારમાં બહાર નીકળ્યા છે આ મુલાકાત બાદ સિંધિયાની કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે માનવામાં આવી રહ્યું કે આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દીધી છે

શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 1210 વાગ્યે સિંધિયાએ ટ્વીટ પર પોતાનું રાજીનામું શેર કરી દીધું હતું ત્યારબાદ 20 મિનિટ બાદ એટલે કે 1230 વાગ્યે જ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું
Recommended