રાજકોટમાં સ્લમ ક્વાર્ટર્સમાં આવેલા મકાનની રવેશ ધરાશાયી
  • 4 years ago
રાજકોટઃ શહેરના જામનગર રોડ પર આવેલા સલ્મ ક્વાર્ટર્સમાં રવેશની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે એક વર્ષ પહેલા કોર્પોરેશનને દિવાલ જર્જરિત હોવાની નોટિસ પાઠવવામાં આવી હતી આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રવેશ પાડવાની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી મહત્વનું છે કે, આ અંગે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હોવા છતાં નક્કર લેવામાં આવતા નથી ભારે વરસાદને પગલે રાજકોટમાં તો અનેક મકાનો મોતનો માંચડો બની ગયા છે આ અંગે DivyaBhaskarએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે પવન સાથે વધુ વરસાદ પડે તો અનેકના જીવ લઈ જાય તેમ છે તેમજ 300 વધુ મકાનોને તો નોટિસ પણ આપી છે પરંતુ પગલા લેવાયા નથી
Recommended