જૈનશાસનના ઇતિહાસમાં 528 વર્ષ બાદ 77 મુમુક્ષુઓએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા
  • 4 years ago
સુરતઃજૈન શાસનમાં દીક્ષાનગરીનું બિરૂદ પામેલા સુરતમાં આજે વેસુમાં 77 અને પાલમાં 19 મુમુક્ષુઓએ સામૂહિક રીતે દીક્ષા ગ્રહણ કરી હતી દીક્ષાર્થીઓ અમર રહોના નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતાં રત્નત્રયી સમર્પણ મંડપમાં જયજયકારા લાગ્યા હતાં 16 હજાર ફૂટના વિશાળકાય લાકડામાંથી બનેલા જિનાલયમાં દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી આ સમયે 40 હજાર જેટલા લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી
Recommended