મોરારિ બાપુએ રાજપેલેસમાં પણ વાત દોહરાવી, કહ્યું, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે
  • 4 years ago
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે આજે બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યા હતા ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે મને એવું લાગે છે કે, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે દેશનું હિત થઇ રહ્યું છે ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઇ
Recommended