સુરતના લિંબાયત સ્મશાનમાંથી બાળકીનો મૃતદેહ ચોરાયો

  • 4 years ago
સુરતઃ લિંબાયતમાં રાવનગરમાં આવેલા મુક્તિધામ સ્મશાનમાં ત્રણ દિવસ પહેલા દફનાવાયેલી બે મહિનાની બાળકીનો મૃતદેહ ચોરાઈ ગયો હતો પરિવાર દૂધ પીવડાવાની વિધિ કરવા પહોંચતા આખો મામલો સામે આવ્યો હતો પરિવારે બાળકી દફનાવાયેલી જગ્યા પર કપડા બહાર જોઈને કબર ખોદાવતા બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો જોકે, સ્માશનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે