CAA વિરોધી ધરણાં કરનાર શાયર મુનવ્વર રાણાની બે દિકરીઓ સહિત 125 લોકો પર કેસ દાખલ

  • 4 years ago
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધમાં મહિલાઓનું વિરોધ-પ્રદર્શન પાંચમાં દિવસે પણ ચાલુ છે આ પહેલાં પોલીસે સોમવારે મોડી સાંજે મુનવ્વર રાણાની બે દિકરી સુમૈયા અને ફૌજિયા સહિત 125 લોકો સામે કલમ-144નું ઉલ્લંઘન કરવા માટે કેસ દાખલ કર્યો છે શહેરમાં હુસૈનાબાદ ઘંટાઘર બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ CAA કાયદો પાછો ખેંચી લેવાની માંગણી કરે છે આ વિશે રામાએ કહ્યું છે કે, પોલીસનું કામ FIR નોંધવાનું તેઓ તેમનું કામ કરી રહ્યા છે આ ડબલ કાયદો દેશને બરબાદ કરવા માટે છે જો શાસન-પ્રશાસન યોગ્ય રીતે પગલાં નહીં લે તો દેશની હાલત વધારે ખરાબ થઈ જશે

Recommended