સુરતના રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે લાગેલી આગ સવારે પણ બેકાબૂ

  • 4 years ago
સુરતઃ શહેરના પુણા-કુંભારીયા રોડ પર આવેલા રઘુવીર માર્કેટમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કર્યું છે આગ એટલી વિકરાળ છેકે મોડી રાતે લાગેલી આગ પર સવારે સાત વાગ્યા સુધી પણ કાબૂ મેળવાયો નથી આગ પર કાબૂ મેળવવા માટે શહેરના ફાયર વિભાગની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે ઉપરાંત આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ પણ મદદે આવી છે સદનસીબે હાલ જાનહાનિના કોઇ અહેવાલ નથીમળતા અહેવાલ અનુસાર વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે 50થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે આ સાથે જ 3 હાઈડ્રોલિક ક્રેનથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી

Recommended