બાલાશ્રમની 7 અનાથ દીકરીઓના શાહી લગ્ન, બેન્ડવાજાના તાલે વરઘોડો, કરિયાવરમાં દરેકને 100 વારનો પ્લોટ અપાયો
  • 4 years ago
ગોંડલ: ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો આજે શાહી લગ્નોત્સવ યોજાયો છે 7 દીકરીઓના લગ્ન હોય શહેરના અમુક વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે 7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે રાજકોટના નિલેશભાઇ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં 100 વારનો પ્લોટ આપવામાં આવ્યો છે