LRD મુદ્દે આપઘાત કરનારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, રબારી સમાજના આગેવાનો જૂનાગઢ પહોંચ્યા
  • 4 years ago
જૂનાગઢ: લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતોઆપઘાતના પગલે રાજ્યભરમાં ભરતીનો વિરોધ કરી રહેલા રબારી સમાજના આગેવાનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે સહાયક વિદ્યુત નિરિક્ષણ કટેરી બહુમાલી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉંમર વર્ષ આશરે-50)નો મૃતદેહ સવારે 730થી 1030 વાગ્યા દરમિયાન ઓફિસમાંથી જ પંખે લટકતો જોવા મળ્યો હતો મ્યાંજરભાઈ આપઘાત કરતા પહેલા 4 ટેબલ પર સ્યુસાઇડ નોટ લખીને મૂકી હતા મ્યાંજરભાઈએ સ્યુસાઇડ નોટમાં લખાવ્યું હતું કે, ‘મારી ઓફિસમાં સ્ટાફ અને કર્મચારીને હેરાન કરશો નહીં, માફ કરશોરૂપાણી સરકારને સંતોષ થશે’ ઘટનાને પગલે મોટી સંખ્યામાં રબારી અને માલધારી સમાજ એકઠા થયા છે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે
Recommended