ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ વિશે મલ્હાર ઠાકર અને સંદીપ પટેલ શું કહે છે?
  • 4 years ago
વીડિયો ડેસ્કઃઅમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી 18થી 22 ડિસેમ્બરે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ - 8 યોજાશે જેમાં 200થી વધુ વક્તા, લેખકો અને કલાકારો ભાગ લેશે આ વખતે GLFમાં 6 અલગ-અલગ સબ ફેસ્ટિવલ યોજાશે તો સૌપ્રથમવાર ઇન્ડિયન સ્ક્રીનરાઇટર્સ ફેસ્ટિવલ, ગુજરાતના કલા, સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની ઉજવણી કરતો એરફેસ્ટ, ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે આ ઉપરાંત GLFમાં સ્ક્રીનરાઇટિંગ શીખવાડવા 8 વર્કશોપ યોજવામાં આવશે અને સ્વર્ગસ્થ કાન્તિ ભટ્ટ સ્મૃતિ એવોર્ડ પણ આપવામાં આવશે GLFમાં દરેક વ્યક્તિને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે પણ, વર્કશોપ માટે ટોકન ફી લેવામાં આવશે
Recommended