25 કિલોમીટર સાઈકલ ચલાવીને વરરાજા પરણવા પહોંચ્યા, વિદાય પણ એમ જ કરી
  • 4 years ago
પંજાબના મૌડના રામનગરમાં ગુરૂવારે દહેજપ્રથાના વિરોધમાં અને સાથે જ પર્યાવરણના સંદેશ સાથે એક વરરાજા સાઈકલ લઈને લગ્ન કરવા નીકળ્યાહતા કોઈ પણ જાતના ઝાકમઝોળ સિવાય ગુરુબખ્શીશ નામના દૂલ્હાએ લગ્નના સ્થળે પહોંચવા માટે સાઈકલનો ઉપયોગ કર્યો હતો ઘરેથી નીકળીને 25 કિમી સુધી સાઈકલચલાવીને તેઓ સાસરીમાં પહોંચ્યા હતા માત્ર 12 લોકોની હાજરીમાં તેમણે લગ્ન કરીને દૂલ્હનને સાઈકલ પર બેસાડીને વિદાય પણ લીધી હતી આવું કરવાનો તેમનો હેતુ એવાલોકોને જાગૃત કરવાનો હતો જેઓ દેવું કરીને પણ લગ્નમાં તેમની ક્ષમતા કરતાં વધુ ખર્ચો કરીને આજીવન દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે
Recommended