ખેડૂત, યુવા, મહિલાઓના મુદ્દે બધા સાથે મળીને કામ કરે - આદિત્ય ઠાકરે
  • 4 years ago
શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ધારાસભ્ય પદના શપથ લીધા બાદ શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું સપનું સાકાર કરવાની જાહેરાત કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં આદિત્યએ કહ્યું કે, સત્તા સંઘર્ષનો કાળ સમાપ્ત થઈ ગયો છે અને હવે રાજ્યમાં મહાવિકાસની સરકાર આવી રહી છે વિધાનભવનમાં જ્યારે આદિત્ય ધારાસભ્ય તરીકે પહોંચ્યા ત્યારે મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું કે, બાલાસાહેબ ઠાકરેનું સપનું હવે ત્યારે જ પુરુ થશે જ્યારે મહારાષ્ટ્ર દેવામુક્ત, પ્રદુષણમુક્ત અને બેરોજગારમુક્ત બનશે
Recommended