અમદાવાદમાં BRTS સામે બંધનું એલાન આપી ગુજરાત યુનિવર્સિટી પાસે NSUIએ બસો રોકાવી
  • 4 years ago
અમદાવાદ: પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા અકસ્માત પછી ડ્રાઈવર બસ મૂકી ભાગી છૂટ્યો હતો પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી અકસ્માતને પગલે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ બંધનું એલાન આપ્યું છે જેમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બસોને રોકાવી હતી ઘટના સ્થળે પહોંચીને પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી જ્યારે એનએસયુઆઈ દ્વારા લો ગાર્ડન ખાતે બસ રોકવામાં આવી હતી અને ટાયરોમાંથી હવા કાઢી દીધી હતી
Recommended