બાંદીપોરામાં બીજા દિવસે અથડામણ, સુરક્ષાદળોએ વધુ 2 આતંકવાદીને ઠાર કર્યાં

  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સોમવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે બન્ને આતંકવાદી માર્યા ગયા છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારુ-ગોળો મળી આવ્યો છે રવિવારે પણ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો ગત સપ્તાહ અવંતીપોરામાં 3 આતંવાદી માર્યા ગયા હતા આ ઉપરાંત અલકાયદા સાથે સંબંધ રાખનાર સંગઠન અંસાર ગજવત-ઉલ-હિન્દના આતંકવાદી અને જાકિર મૂસાના ઉતરાધિકારી અબ્દુલ હમીદ લેલહારી પણ માર્યો ગયો હતો લેલહારીને ગજવત-ઉલ-હિંદના નવા કમાન્ડર બનાવવાની જાહેરાત આ વર્ષના જૂન મહિનામાં કરવામાં આવી હતી ત્રણ આતંકવાદીઓમાં નવીદ ટાક, હમીદ લોન ઉર્ફે હમીદ લેલહારી અને જુનૈદ ભટ્ટનો સમાવેશ થતો હતો

Recommended