નારેશ્વર ખાતે નર્મદા નદીમાં નહાવા પડેલા કોસંબાના 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત
  • 4 years ago
વડોદરાઃ સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા આ સમયે અચાનક જ 5 યુવાનો ડૂબવા લાગ્યા હતા જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
Recommended