શસ્ત્રપૂજા અંગે રાજનાથનો રાહુલને ટોણો, રાફેલ પર ઓમ ન લખું તો બીજું શું લખું?
  • 5 years ago
રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલની શસ્ત્ર પૂજા પર કરેલી નિવેદનબાજીઓ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે રાજનાથ સિંહે હવે કહ્યું છે કે શસ્ત્ર પૂજામાં ઓમ નહોતું લખવાનું તો તેની જગ્યાએ શું લખવાનું હતું

હરિયાણાના ભિવાનીમાં રેલીને સંબોધતા રાજનાથસિંહે કહ્યું કે,‘વિજયાદશમી પર શસ્ત્ર પૂજાની પરંપરા છે, જ્યારે મેં રાફેલ પર ઓમ લખ્યું તો લોકો પુછવા લાગ્યા કે તમે ઓમ શા માટે લખ્યું હું રાહુલજીને પુછવા માંગીશ કે શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો બીજું શું લખું?’
Recommended