ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, 5 વર્ષમાં 1 કરોડ લોકોને નોકરી આપશે

  • 5 years ago
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે તે સાથે જ પાંચ વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે

બીજેપીએ તેમના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો પણ કર્યો છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરે છે કે, વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે વીર સાવરકર સિવાય બીજેપીના સંકલ્પ પત્રમાં સાવિત્રી બાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભારત રત્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો છે

Recommended