સિદ્ધપુરના બિલિયામાં 331 માંડવીઓથી વેરાઈ માતાનો ચોક ઝળહળ્યો
  • 5 years ago
સિદ્ધપુરઃસિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે આસો સુદ ચૌદસની રાત્રી એ વેરાઈ માતાના મંદિરે સવાસો દીવડાની 331 જેટલી માંડવીઓ નીકળી હતી જેના પ્રકાશથી સમગ્ર માહોલ દીપી ઊઠયો હતો અન્યત્ર નવલા નોરતાના નવ નવ દિવસ સુધી ગરબા થાય છે ત્યારે અહીંયા દશેરાના દિવસથી ગરબા અને આસો સુદ ચૌદસે સવાસો દીવડાની માંડવી નીકળે છે જેમાં મહિલાઓ તેમજ પુરૂષોએ માથે ગરબા મૂકી માં ના ગરબા ગાયા હતા આ સમયે આકાશના તારલા ધરતી પર ઊતરી આવ્યા હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું