મુર્શિદાબાદમાં સંઘ કાર્યકર્તા, તેની પત્ની અને દીકરાની કરપીણ હત્યા
  • 5 years ago
પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘુસીને આરએસએસ કાર્યકર્તા અને તેની ગર્ભવતી પત્ની અને દીકરાની હત્યા કરી દીધી છે આ મામલામાં ભાજપે રાજ્યમાં કાયદા-વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે પાર્ટીના બંગાળ પ્રભારી કેલાશ વિજયવર્ગીયએ પુછ્યું કે, દીદી તમારા રાજ્યમાં આ શું થઈ રહ્યું છે? ભાજપ અને આરએસએસે સરકારના વિરોધમાં રેલી કાઢવાની જાહેરાત કરી છે

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રકાશ પોલ એક શાળામાં 20 વર્ષથી શિક્ષક હતા તે ગર્ભવતી પત્ની અને આઠ વર્ષના દીકરા સાથે જિયાગંજમાં રહેતા હતા બુધવારે રાતે ત્રણેયની તીક્ષ્ણ હથિયાર દ્વારા હત્યા કરી દેવાઈ છે તો બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ હત્યાકાંડ પર ધ્યાન દોરતા મુખ્યમંત્રી અને ડીજીપીને પત્ર લખ્યો હતો તેમણે આ કેસની નિષ્પક્ષ તપાસ અને આરોપીઓની ઝડપથી ધરપકડ કરવાની માંગ કરી છે