સાતમે માતાના મઢે હવનમાં શ્રીફળ હોમાયુ, આઠમે સવારે જાતર
  • 5 years ago
દયાપર: દેશદેવી મા આશાપુરના સ્થાનક માતાના મઢ ખાતે પરંપરાગત ઉજવાતા આસો નવરાત્રિ પર્વે શનિવારે સાતમા નોરતે મોડી રાત્રે હોમ હવનમાં શ્રીફળ હોમાયું હતું જ્યારે આજે રવિવારે સવારે રાજવી પરિવાર દ્વારા જાતર (પતરી) કરાઈ હતી મોડી રાત સુધી ચાલેતી ધાર્મિકવિધિ બાદ રાત્રે 12-35 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે શ્રીફળ હોમવામાં આવ્યું હતું આ સમયે મંદિર પરિસરમાં ઢોલ શરણાઈના સૂરો તેમજ માતા આશાપુરાના જયજયકારનો નાદ ગુંજી ઉઠ્યો હતો હોમાત્મક ધાર્મિક વધિમાં શ્રીફળ હોમાયા બાદ મોડી રાત્રે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી