સામેતરથી બેડીયા ખાંભા રોડ પર પુલ ધરાશાયી થતા ટ્રક અંદર ખાબક્યો, જાનહાનિ નહીં
  • 5 years ago
ઉના: વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવે રોડ બનાવવાનું કામ ચાલુ હોવાના લીધે તેમજ વેરાવળ-ભાવનગર રોડ બિસ્માર હાલતમાં હોય જેથી આ રોડના બદલે લોકો સામતેરથી બેડીયા ખાંભા રોડથી અમરેલી, રાજુલા જવાનો આગ્રહ રાખે છે વધુમાં વધુ બેડીયા ખાંભા રોડ ઉપર વાહનવ્યવહાર ચાલે છે અને આજે આ માર્ગ પરના નાના પુલનું ભંગાણ થતાં અહીંથી પણ પસાર થવું મુશ્કેલ બન્યું પુલ ધરાશાયી થતા આખો ટ્રક તેમાં ઘૂસી ગયો હતો પરંતુ આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી
Recommended