વેરાવળમાં મંદિર અને મસ્જિદનું ડીમોલેશન કરાતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ
  • 5 years ago
ગીર સોમનાથ:વેરાવળમાં પ્રાંત અધિકારીની આગેવાનીમાં એક મંદિર અને મસ્જિદનું ડીમોલેશન કરી દેવાતા મામલો ગરમાયો હતો જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું ઘટનાની વિગત અનુસાર કેકેમોરી નજીકનાં હનુમાનજી મંદિર અને વેરાવળ ચોપાટી પર આવેલી દરગાહ તંત્ર દ્વારા મોડી રાત્રે જમીનદોસ્ત કરવામાં આવી હતી જે ઘટનાની જાણ લોકોને વહેલી સવારે થતાં લોકો ચોપાટી ખાતે ઉમટી પડ્યાં હતા જે દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો
Recommended