ગંગા દશેરા પર રાશિ મુજબ આ વસ્તુનુ કરશો દાન તો ઘનલાભ થશે
  • 5 years ago
આપ ન જાણતા હોય તો જાણી લો કે ગંગા દશેરા એટલે પુરાણો મુજબ જયેષ્ઠ શુક્લ દશમી બુધવાર હસ્ત નક્ષત્ર જે દિવસે ગંગા સ્વર્ગ પરથી ધરતી પર આવી હતી.
ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન, દાન અને પિતરોનુ તર્પણ કરવુ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન અને પૂજા ઉપવાસ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તમે ગંગા સ્નાન ન કરી શકો તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં થોડુ ગંગાજળ મિક્સ કરી લો અને સ્નાન કરતી વખતે સ્વયં શ્રી નારાયણ દ્વારા બતાવેલ મંત્ર ૐ નમો ગંગાયૈ વિશ્વરૂપિણ્યૈ નારાયણે નમો નમ નુ સ્મર્ણ કરવાથી વ્યક્તિને પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. #GangaDussehra #HinduDharm #GujaratiVideo
Recommended