મહિધરપુરામાં ગણપતિ બાપાને પહેરાવાયેલા રૂપિયાના હારની ટાબરિયાયે કરેલી ચોરી સીસીટીવીમાં કેદ
  • 5 years ago
સુરત:મહિધરપુરા ખરાડી શેરી ખાતે ગણપતિ બાપાની મૂર્તિ અને પાંડાલને રાત્રિની આરતી બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો બાપાની મૂર્તિ પર ચલણી નોટનો હાર હોવાનું ટાબરિયાના ધ્યાને આવતાં સવારે છ વાગ્યા આસપાસ લોકોની ચહલપહલ નહોતી તે સમયે એક ટાબરિયો બાપાના પંડાલમાં બાકોરૂં પાડીને ઘુસ્યો હતો અને ચલણી નોટનો હાલ લઈને નીકળી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું સુરતના મોટા ગણપતિના પંડાલમાંથી મોબાઈલ ચોરીની ઘટનાઓ બની રહી હોવાની વચ્ચે ટાબરિયાએ કરેલી ચોરીને લઈને પંડાલના કર્તાહર્તા પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે
Recommended