UNના 91 વર્ષીય પૂર્વ કર્મચારીનું અપહરણ, શ્વાસ રુંધાવાના કારણે કૃષ્ણ ખોસલાનું મોત
  • 5 years ago
રાજધાનીના ગ્રેટર કૈલાશ પાર્ટ-ટૂ વિસ્તારમાં અપહરણ અને હત્યાની ચોંકવાનારી ઘટના સામે આવી છે જેમાં એક નોકરે જ પહેલા વૃદ્ધ દંપતિને જમવામાં નશીલો પદાર્થ આપીને બેભાન કરી કરી, સાથીઓની મદદથી ઘરના માલિકને ફ્રીઝમાં લોક કરીને ટેમ્પોમાં ઘર શિફ્ટ કરવાના બહાને લઈ ગયો હતો આ વખતે જ ઘરના માલિક કૃષ્ણ ખોસલાનું મોત થયું હતું, તે સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ કર્મચારી પણ હતા

રવિવારે સવારે વૃદ્ધ મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો ઘરમાંથી અંદાજે 5 લાખના ઘરેણા અને સવા લાખ રૂપિયાની પણ ઉઠાંતરી કરાઈ છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કિશનને ઉત્તરપ્રદેશમાંથી શોધી કાઢ્યો છે આરોપીએ કહ્યું કે, ફ્રિજમાં નાંખીને કિડનેપ કરવા પાછળનું કારણ મોટી રકમ વસુલવાનું હતું તેણે કૃષ્ણા ખોસલાના રોજ રોજના કકડાટથી કંટાળીને દોઢ મહિના પહેલા જ અપહરણ અને મોટી રકમ વસુલવાનો પ્લાન બનાવી લીધો હતો
Recommended