ભિલોડા: મિનિ સ્વર્ગ સુનસર ગામના પહાડોમાં ધોધ વહેવા લાગ્યો, લોકોએ નાહીને મોજ માણી
  • 5 years ago
અરવલ્લી: ભિલોડાથી 12 કિલોમીટર દૂર મુનાઈ પાસે આવેલા સુનસર ગામે ભારત માતાના મંદિર પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી દર ચોમાસે કુદરતી ધોધ વહે છે અહીં ધોધ વહેતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા લોકોએ નાહીને મોજ મસ્તી કરી હતી ડુંગર ઉપર એક તળાવ છે જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે આ તળાવ ઓવરફ્લો થાય છે ડુંગર પર રહેલા મોટા મોટા પથ્થરની રચના એવી છે જેના કારણે ઓવરફ્લો થયેલું પાણી ધોધ સ્વરૂપે નીચે પડે છે ઉપરથી પડતો ધોધનો નજારો ખૂબ જ નયનરમ્ય અને આહલાદક લાગે છે
Recommended