ભાજપના સ્થાનિક નેતા ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું-મને તમે વાંધો ક્લિયર આપશો, નહીંતર મારી લાશ મળશે
  • 5 years ago
અમદાવાદ:શહેરના વસ્ત્રાલમાંથી જયંતી ગઢીયા નામના વેપારી અને ભાજપના નેતા ગુમ થઈ જતા દોડધામ મચી ગઈ છે તેમણે લીધેલા શેડમાં ઈલેક્ટ્રિસિટી ન હોવાથી અને શેડનો મામલો કોર્ટમાં હોવાના કારણે તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું અનુભવતા તેઓ ગુમ થઈ ગયા છે ગુમ થયેલા જયંતીભાઈ એક ચિઠ્ઠી પણ લખીને ગયા છે જેમાં તેમણે લખ્યું છે કે, મને તમે વાંધો ક્લિયર આપશો, નહીંતર અમદાવાદના કોઈ ખૂણામાંથી મારી લાશ મળશે જેને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી જંયતી ગઢીયાની શોધખોળ શરૂ કરી છે
Recommended