પરમધામમાં જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ

  • 5 years ago
અમદાવાદમાં ISRO પાસે આવેલાં ચિન્મય મિશન સંચાલિત પરમધામ મંદિરમાં શનિવારે જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી આ ઉપક્રમે ચિન્મય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ રાસ-ગરબા, મટકીફોડ જેવા કાર્યક્રમોમાં સેંકડો ભક્તોએ ઉત્સાહથી ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે, આ પાવન પ્રસંગે સ્વામી અવ્યયાનંદે ભક્તોને કિર્તનભક્તિમાં લીન કર્યા હતા