24 કલાક વરસાદ પડતા અંબાજી-દાંતા વચ્ચે ભેખડો ઘસી પડી, વાહનચાલકો પરેશાન

  • 5 years ago
પાલનપુર:અંબાજી દાંતા પંથકમાં છેલ્લા 24 કલાક અવિરત વરસાદ વરસી રહ્યો છે હજી પણ અવિરત પણે વરસાદ વરસી રહ્યા છે ત્યારે નદી નાળાઓ વહેતા થયા છે સતત વરસી રહેલા વરસાદના પગલે અંબાજી દાંતા વચ્ચે માર્ગ પર ભેખડો ઘસી પડવાની ઘટના બનવા પામી હતીઅંબાજી દાંતા વચ્ચે હાલ ચારમાર્ગીય રસ્તો બનાવની કામગીરી ચાલી રહી છે જેમાં કાપવામાં આવેલા ડુંગરો પોચા થઈ જતા આ ભુસ્ખલન થવા પામ્યું છે જેને પગલે માર્ગ અવરોધાતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો રોડ બનાવતી કંપનીના માણસો દોડતા થયા હતા અને રોડ ઉપર ઘસી આવેલી માટી દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તેને હાલ હટાવી લેવામાં આવ્યા છે

Recommended