સસ્પેન્ડેડ IAS દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, મહિલા આયોગે સુઓમોટો કરી
  • 5 years ago
ગાંધીનગર:કથિત પ્રેમ પ્રકરણને લઈ વિવાદમાં આવેલા ગુજરાતના IAS ગૌરવ દહિયાને તપાસ સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે દહિયાના કથિત પ્રેમ સંબંધોના વિવાદ મામલે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયા પર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે તે જોતા મહિલા આયોગે સુઓમોટો કરી છે અને ગૌરવ દહિયાને ફોનથી ઓફિસે બોલાવ્યા છે, પરંતુ હજુ સુધી ગૌરવ દહિયા મહિલા આયોગની કચેરીએ હાજર થયા નથી અમે તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમે પોલીસને પણ દહિયાને હાજર કરાવવા કહ્યું છે ગૌરવ દહિયાએ જવાબ આપવા માટે મહિલા આયોગની કચેરીએ આવવું જ પડશે
Recommended