ધ ગ્રાન્ડ ભગવતી કાફે એન્ડ બેકરીની વસ્ત્રાપુર બ્રાન્ચમાં કોફીમાં મરેલા વંદાના કટકા નીકળ્યાં
  • 5 years ago
અમદાવાદ: ધ ગ્રાન્ડ ભગવતી કાફે એન્ડ બેકરીની વસ્ત્રાપુર બ્રાન્ચમાં કોફીમાં મરેલા વંદાના કટકા નીકળ્યા હોવાની ઘટના બની છે આજે મોડી સાંજે જ્યારે દંપતી આ કાફે અને બેકરીમાં કોફી પીવા અને ત્યારે આ ઘટના બની હતી બેકરીના સ્ટાફ તેમજ મેનેજરે પોતે ભૂલ થઈ ગઈ હોવાનુ કહી બચાવ કર્યો હતો ગાયત્રી જોશીએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે વસ્ત્રાપુર ધ ગ્રાન્ડ ભગવતીમાં કેપેચીનો કોફી પીવા ગયા હતા અડધી કોફી પીધા બાદ કોફીમાંથી મરેલા વંદાના અવશેષો નીકળ્યા હતા આ બાબતે સ્ટાફને જાણ કરતા તેઓએ પોતે ભૂલ થઈ ગઇ એવું કહી દીધું હતું અન્ય વસ્તુઓની તપાસ કરતા કેક પર મરેલા મચ્છર પણ જોવા મળ્યા હતા આ બાબતે મેનેજરને બોલાવી આવી બેદરકારી અંગે કહેતા તેને આ બાબતે તપાસ કરીશું તેમ કહી દીધું હતું આ બાબતે અમે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરીશું