પાટડીમાં એક જ દિવસમાં પાંચ ઈંચ વરસાદ, દુષ્કાળની સ્થિતિ દૂર, નદીઓમાં નવા નીર આવ્યા

  • 5 years ago
સુરેન્દ્રનગરઃપાટડીમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 10 ટકા જ એટલે કે માંડ બે ઇંચ જ વરસાદ નોંધાતા દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ હતી પરંતુ ગઈકાલ(8 જૂલાઈ)ની મોડીરાતથી 9 જૂલાઈ સુધીમાં એટલે કે એક જ દિવસમાં પાંચ ઈંચ જેટલો મુશળધાર વરસાદ પડતા દુષ્કાળની સ્થિતિ દૂર થઈ છે તેમજ પાટડી ગામ, તળાવ અને સિંચાઈ ખાતા હસ્તકના નવા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે તેમજ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા

સૂકાભઠ્ઠ ગણાતા રણકાંઠા વિસ્તારમાં ગત વર્ષે 203 મિમિ એટલે કે 8 ઈંચ જ વરસાદ પડતા રાજ્ય સરકારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો

Recommended