આર્ટિકલ 370ને હટાવવાનાં નિર્ણયથી ફારૂક અબ્દુલ્લા ભડકી ઉઠ્યા, કહ્યું - અમે પથ્થરબાજ નથી
  • 5 years ago
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનાં નિર્ણયથી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા તેમણે કહ્યુ છેકે, મોદી સરકારના આર્ટિકલ 370 પરના નિર્ણયની સામે અમે કોર્ટમાં જઈશું અમે પથ્થરબાજ કે ગ્રેનેડ ફેંકવાવાળા નથી તેઓ અમારી હત્યા કરવા માંગે છે અમે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અમે લોકો શાંતિથી અમારી લડાઈ લડીશું પત્રકારોને ઘરમાંથી જ જવાબ આપતાં ફારૂકે જણાવ્યું હતુ કે, મારા ઘરને તાળું મારી દેવામાં આવ્યું છે હું બિમાર છું પરંતુ હોસ્પિટલ પણ નથી જઈ શક્તો
Recommended