યેદિયુરપ્પાએ વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો, સ્પીકર રમેશ કુમારે રાજીનામુ આપ્યું
  • 5 years ago
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો છે અને ભાજપ સરકારે બહુમતી સાબિત કરી દીધી છે તેમણે કહ્યું છે કે, જ્યારે સિદ્ધારમૈયા અને કુમારસ્વામી મુખ્યમંત્રી હતા ત્યારે હું ક્યારેય બદલાના રાજકારણમાં સામેલ નથી રહ્યો પ્રશાસનિક વ્યવસ્થાઓ નિષ્ફળ થઈ ગઈ હતી અને અમે માત્ર અધિકારો માટે લડી રહ્યા હતા હું ક્ષમા કરવામાં વિશ્વાસ રાખું છું વિરોધ કરનાર લોકો સાથે મારે કોઈ દુશ્મની નથી



કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ તેમની સરકારનો બહુમત સાબિત કરી દીધો છે આ દરમિયાન સ્પીકર રમેશ કુમારે પણ રાજીનામુ આપી દીધું છે તેમણે કહ્યું છે કે, હું આ પદ છોડવા માંગુ છું અને જે ડેપ્યૂટી સ્પીકર છે તે જ હવે આ પદ સંભાળશે