ઢૂંવા ગામે પાંચ દેશોના પદયાત્રીઓની હાજરીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા, મંત્રી માંડવિયા જોડાયા
  • 5 years ago
ડીસા: ઢૂંવા ગામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય પાંચ દેશના લોકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રા યોજાઈ હતી જેમાં મહાત્મા ગાંધીજીના નૈતિક મૂલ્યો ઉજાગર કરવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં ચીલી, ફ્રાન્સ, નેધરલેન્ડ,જાપાન અને અમેરિકાથી પણ કેટલાક લોકો જોડાયા હતા અને ગાંધી મૂલ્યો વિશે માહિતી લીધી હતી