ગીર-સોમનાથમાં ભારે વરસાદથી સરસ્વતી નદીમાં પૂર, કિનારે આવેલું માધવરાયજીનું મંદિર ડૂબ્યું

  • 5 years ago
ગીર સોમનાથઃસૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ભારે વરસાદથી પ્રાચીતીર્થમાં આવેલી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે નદીમાં પૂર આવવાને કારણે નદી કિનારે આવેલું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે નોંધનીય છે કે, હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 કલાકમાં ગીર-ગઢડામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે

Recommended