22 માસૂમોના ભોગ લેનાર તક્ષશિલા આર્કેડના આગમાં સળગી ગયેલા ડોમને તોડવાની શરૂઆત
  • 5 years ago
સુરતઃ સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસના માસૂમોએ જીવ ગુમાવ્યો હતો ડોમ આગના કારણે સળગી ગયો હતો તક્ષશિલા અગ્નિકાંડને 1 મહિનો અને 22 દિવસ બાદ પાલિકા દ્વારા ડોમ તોડવાની શરૂઆત કરવામાં આવી છે 24 મેના રોજ સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી જેમાં ચોથા માટે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં માસૂમો ફસાઈ ગયા હતા અને 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો 22 માસૂમોના મોતના પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને હાલ પણ ન્યાયની લડત ચલાવવામાં આવી રહી છે