રથયાત્રા શરૂ થતાં જ મંદિર પાસે મહિલા બેભાન, 108માં હોસ્પિટલ ખસેડાઈ

  • 5 years ago
અમદાવાદઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે આ દરમિયાન અમી છાંટણા પણ થયા હતા જો કે દર વર્ષ કરતા આ વખતે ભક્તોની સંખ્યામાં ઘટાડો હોય તેમ નજરે પડી રહ્યું હતું રથયાત્રાના પ્રારંભે મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ નામના રથમાં વિદ્યમાન કરાયા છે, સાથે જ ભાઈ બલભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બેસાડવામાં આવ્યા છે

Recommended