22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલ્લો રહેતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા
  • 5 years ago
અમદાવાદઃ નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ ઘટના બાબતે DivyaBhaskarએ પંચામૃત સ્કૂલનો સંપર્ક કરતા પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું
Recommended