વાવાઝોડું ગુજરાતમાં આવશે નહીં પણ દીવથી દ્વારકા સુધીના દરિયાકાંઠાને ભારે અસર કરશે
  • 5 years ago
અમદાવાદઃ ગુજરાતમાં આવનારુ સંભવિત 'વાયુ' વાવાઝોડું મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ છે જો કે વાવાઝોડાની દિશા બદલાય હોવા છતાં તે ગુજરાતને અસર તો કરશે જ હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે હાલ આ વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ છે આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે
Recommended