શોપિયામાં સેનાએ 2 આતંકીઓને ઠાર, પુંછમાં આઈઈડી બોમ્બને નિષ્ક્રિય કર્યો

  • 5 years ago
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મંગળવારે સેના સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે આ ઘટના અવનીરા વિસ્તારમાં થઈ હતી સીઆરપીએફની 178 બટાલિયન, એસઓજી જૈનપોરા અને રાષ્ટ્રીય રાઈફલ્સે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન મંગળવારે સવારે 325 વાગ્યે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી બીજી બાજુ સેનાએ પુંછની કૃષ્ણા ઘાટી પુલ પર આતંકીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે

સેનાએ કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોએ બે આતંકીઓના મૃતદેહ કબજે કર્યા છે પ્રદર્શન રોકવા માટે અનવીરા સહિત ઘણાં વિસ્તારોમાં મોટી માત્રામાં સેના તહેનાત કરી દેવામાં આવી છે શોપિયામાં અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે

Recommended