હાટકેશ્વરમાં ભરઉનાળે મંદિરમાં ભૂવો પડ્યો, પૂજારી ગરકાવ થતા ગંભીર ઈજાઓ
  • 5 years ago
અમદાવાદ: હાટકેશ્વરના પ્રખ્યાત તામિલ સંપ્રદાયના શિતળા માતાના મંદિરના સંકૂલમાં આજે સવારે અચાનક જ ભરઉનાળે ભૂવો પડ્યો હતો ભુવામાં મંદિરના પૂજારી ગરકાવ થયા હતા પૂજારી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા હાટકેશ્વર વોર્ડમાં અગાઉ અનેક ભુવા પડી ચૂક્યા છે આ મંદિરને અડીને બે માસ પહેલા પણ ભુવો પડવાની ઘટના બની હતી AMCએ પૂરાણ કર્યું હતું ગત ચોમાસા બાદ હાટકેશ્વરમાં સાતથી વધુ ભુવાઓ પડ્યા હતા
Recommended