પાટીદાર અનામત આંદોલનના ફરી મંડાણ એસપીજી સરકાર સામે મોરચો માંડશે
  • 5 years ago
મહેસાણા: પાટીદાર અનામત આંદોલન ચલાવનાર આંદોલનકારીઓ રાજકીય પક્ષોમાં ભળી જતા છેવટે આંદોલનને પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું હવે મહેસાણા જીઆઈડીસીના ફેસ-1માં રવિવારે સાંજે સરદાર પટેલ સેવા દળ (એસપીજી)એ રાજ્યકક્ષાનો સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો તેમાં અધ્યક્ષ લાલજી પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે ફરી એકવાર મોરચો માંડવા જાહેરાત કરી હતીપાટીદાર અનામત આંદોલન દરમિયાનના બાકીના વિવિધ મુદ્દાઓની સમારોહમાં ચર્ચા થઈ હતી જેમાં જેલમાં બંધ આંદોલનકારીઓને છોડાવવા સહિતના મુદ્દે લડતની તૈયારીઓ માટે કવાયત થઈ હતી
Recommended