અમરેલીના વાતાવરણમાં પલટો, ખાંભા, સાવરકુંડલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ
  • 5 years ago
અમરેલી:વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું બપોર બાદ વાતાવરણમાં પલટોઆવતા શહેરમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા છે ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે તો બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પણ મળી હતી
Recommended