દીદી સંપૂર્ણપણે માનસિક બેલેન્સ ગુમાવી ચૂક્યા છે, 'દીદીગીરી' કરવા નીકળી છેઃ વિજય રૂપાણી

  • 5 years ago
વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ પંચશતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે હતા જ્યાં મુખ્યમંત્રી અને જ્ઞાનજીવનદાસ સ્વામીએ યુવા-યુવતી શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મમતા બેનર્જી અંગે વિજય રૂપાણીએ જણવ્યું હતું કે, મને લાગે છે કે, દીદી સંપૂર્ણપણે માનસિક રીતે બેલેન્સ ગુમાવી ચૂક્યા છે ધરતી તેમના પગ નીચેથી નીકળી ગઇ છે એટલા માટે જ લોકશાહીને કલંકિત કરીને દીદી 'દીદીગીરી' કરવા નીકળી છે ભારત અને બંગાળની જનતા આ ચલાવશે નહીં આ ચૂંટણીમાં જ બંગાળની જનતા દીદીને મત દ્વારા જવાબ આપશે અને દરેક વખતે ગુંડાગીરી, દાદાગીરી, ધમકીઓની ભાષા અને તંત્રનો દુરૂપયોગ થઇ રહ્યો છે લોકસભામાં સભા પણ ન કરવા દેવાતી નહોતી, માત્ર બંગાળમાં હિંસાના બનાવો બને છે દીદી જ જવાબદાર છે અને ખાલી વાતો કરે છે પરિણામ સ્પષ્ટ છે આવનારા દિવસોમાં તૃણમુલ કોંગ્રેસનું સંપૂર્ણ પતન થઇ જશે

Recommended