દલિતોના વરઘોડાના વિરોધનો મામલો, મેવાણીની ચક્કાજામની ચિમકી, 18મીએ દલિત સંમેલન
  • 5 years ago
અમદાવાદઃમોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના થઈ રહેલા વિરોધ તેમજ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ દરમિયાન મેવાણીએ કહ્યું કે, આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટનાઓ છે, આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિતોના મિત્ર બન્યા નથી