આબલિયાળા ગામે આંગણવાડીમાંથી કિશોરીઓ માટે આપવામાં આવેલા પેકેટમાં જીવાત નીકળી
  • 5 years ago
ખાંભા: ખાંભા તાલુકાના આબલિયાળા ગામે અંદાજે 60 જેટલી કિશોરીઓ છે દર મહિને 10 કિશોરીઓને તેલ, ઘઉં અને દાળ વિતરણ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે મંગળવારે 5 જેટલી કિશોરીને દાળના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમાં આપવામાં આવેલા એક પેકેટમાં જીવતી જીવાત નીકળી હતી જ્યારે આ પેકેટના લાભાર્થી દ્વારા પેકેટ તોડી અંદર જોયું તો જીવતી તેમજ મરેલી જીવાત નીકળી હતી બાદમાં જાગૃત નાગરિક દ્વારા કેટલી કિશોરીઓને આ પેકેટ આપવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી હતી જ્યારે આબલીયાળાના આંગણવાડી સંચાલિકા મનીષાબેન ઝાલાને આ ઘટના અંગે જાણ થતાં તેવો ત્યાં દોડી ગયા હતા અને સર્વે હાથ ધર્યો હતો
Recommended