પાક. જેલમાંથી મુક્ત માછીમારો વેરાવળ પહોંચ્યા, પરિવારમાં ભાવુક દૃશ્યો સર્જાયા
  • 5 years ago
વેરાવળ: પાકિસ્તાન દ્વારા છેલ્લા 15 દિવસમાં 300 માછીમારોને મુક્ત કરાયા છે તાજેતરમાંજ બે તબક્કામાં પાકે 200 માછીમારોને મુક્ત કર્યા બાદ આજે ફરી 100 માછીમારો વતન પરત આવ્યા છે પાકિસ્તાન જેલમાં રહેલા પૈકીના વધુ 100 માછીમારોને તા 22ના રોજ મુક્ત કરાયા બાદ તેઓ આજે વેરાવળ આવી પહોંચ્યા હતા જો કે આજે તેઓ વેરાવળ પહોંચે એ પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ વેરાવળથી 10 કિમી દૂર કીડીવાવ ખાતે માછીમારોના કાફલાને રોક્યો હતો અને ત્યારબાદ તેઓનું લાંબા સમય સુધી ઇન્ટ્રોગેશન કરાયું હતું